9તો પછી શું? આપણે તેઓના કરતાં સારા છીએ? ના તદ્દન નહિ. કારણ કે આપણે અગાઉ યહૂદીઓ તથા ગ્રીકો પર દોષ મૂક્યો કે તેઓ સઘળા પાપને આધીન છે.
10જેમ શાસ્ત્રમાં લખેલું છે તેમ કે; 'કોઈ ન્યાયી નથી, એક પણ નથી;
11સમજનાર અને ઈશ્વરને શોધનાર કોઈ નથી;
12તેઓ સર્વ ભટકી ગયા છે, તેઓ બધા નકામા થયા છે; સારું કામ કરનાર કોઈ નથી, ના, એક પણ નથી
13તેઓનું ગળું ઉઘાડી કબર જેવું છે; પોતાની જીભથી તેઓએ કપટ કર્યું છે; તેઓના હોઠોમાં સાપનું ઝેર છે!
14તેઓનું મોં શ્રાપથી તથા કડવાશથી ભરેલું છે;
15તેઓના પગ લોહી વહેવડાવવા માટે ઉતાવળા છે;
16તેઓના માર્ગોમાં વિનાશ તથા વિપત્તિ છે;
17શાંતિનો માર્ગ તેઓએ જાણ્યો નથી
18તેઓની આંખ આગળ ઈશ્વરનું ભય નથી.'
19હવે આપણે જાણીએ છીએ કે જેઓ નિયમશાસ્ત્રને આધીન છે, તેઓને નિયમશાસ્ત્ર કહે છે, જેથી દરેક મોં બંધ થાય, અને આખું માનવજગત ઈશ્વરની આગળ દોષિત ઠરે.