1યહોવાહ મારા પાળક છે; તેથી મને કશી ખોટ પડશે નહિ.
2તે મને લીલાં બીડમાં સુવાડે છે તે મને શાંત પાણીની પાસે દોરી જાય છે.
3તે મારા આત્માને તાજગી આપે છે; પોતાના નામની ખાતર તે મને ન્યાયીપણાને માર્ગે ચલાવે છે.
4જો કે હું મૃત્યુની છાયાની ખીણમાં ચાલું, તોય હું કંઈપણ દુષ્ટતાથી બીશ નહિ, કેમ કે તમે મારી સાથે છો; તમારી લાકડી તથા તમારી છડી મને દિલાસો આપે છે.